અમદાવાદઃ સવાર-સવારમાં આપણું મન ઘણું જ શાંત હોય છે. આ સમયે આપણી સાથે એવી કેટલીક ઘટનાઓ બની છે, જેનાથી આપણો આખો દિવસ સારો જાય છે. જો સવારમાં તમારી સાથે આવું થતું હોય તો તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે તમારો દિવસ કેમ આટલો સારો જાય છે. કયા સંકેતોને કારણે દિવસ શુભ રહ્યો? આજે આપણે આવા જ કેટલાંક સંકેતો અંગે વાત કરીશું.
– જો સવારે ઉઠીને તરત જ તમને શંખ કે પછી મંદિરના ઘંટનો અવાજ સંભળાય તો તમને કોઈ સારા સમાચાર મળી શકે છે.
– નારિયેળ, શંખ, મોર, હંસ કે પછી ફૂલ જો સવાર-સવારમાં જોવા મળે તો તમારો આખો દિવસ સારો પસાર થશે.
– એમ કહેવાય છે કે જો તમે સવારે કોઈ કામ માટે બહાર નીકળતા હોવ અને આ સમય દરમિયાન સફાઈકર્મી જોવા મળે તો તે શુભ સંકેત છે અને કામ અચૂકથી પૂરું થશે.
– આપણાં શાસ્ત્રોમાં એમ કહેવાયું છે કે હાથની રેખાઓમાં દૈવીય શક્તિ રહેલી છે. સવારે ઉઠીને તરત જ હાથના દર્શન કરવાથી આખો દિવસ સારો જાય છે.
– સવારે ઉઠતા જ તમે હવનના દર્શન કરો તો તમારી સાથે કંઈક શુભ થવાનું છે.
– સવારે જ્યારે તમારી આંખ ખુલે અને તમારી નજર કોઈ શ્રૃંગાર કરેલી મહિલા પર પડે તો તમારું અટકી પડેલું કામ તરત જ થઈ જશે.