ટીવી સમાચારની દુનિયાથી એક ખૂબ દુખદ સમાચાર આવ્યા છે. ‘આજતક’ ટીવી ચેનલના ફેમસ ટીવી એન્કર રોહિત સરદાનાનું આજ સવારે ર્ટ-અટેકથી નિધન થયું હતું. રોહિત સરદાના કોરોના સંક્રમિત પણ હતા.
આજતક ટીવી ચેનલે જ્યારે પોતાના એન્કરના નિધનના સમચાર જણાવ્યા ત્યારે આખી ચેનલો સ્ટાફ ભાવુક થઈ ગયો હતો. ટીવી પર આ સમાચાર આપતી વખતે બધા એન્કોર ખૂબ જ ભાવુક થઈને રડી પડ્યા હતા. કોઈ બોલી શકવાની સ્થિતિમાં પણ નહોતા. તેઓ માની જ નહોતા શકતા કે તેમના સાથી એન્કર રોહિત તેમને છોડીને ચાલ્યો ગયો હતો.
રોહિત સરદાનાએ ઘણી ટીવી ચેનલોમાં કામ કર્યું હતું. છેલ્લે તે ‘આજતક’ના સ્ટાર એન્કર હતા. તે ચેનલ પર સાંજે પ્રસારિત થતાં ડિબેટ શો દંગલમાં એન્કરિંગ કરતા હતા.. તેને પત્રકારજગતના અનેક એવોર્ડથી નવાજમાં આવ્યા હતા.
પોતાના નિધનના એક દિવસ પહેલાં સુધી રોહિત સરદાનાએ પોતાના ટ્વિટર હેન્ડર દ્વારા એક મહિલાને રેમડેસિવિર ઈન્જેક્શનની વ્યવસ્થા કરી આપવા મદદની ટહેલ નાખી હતી. બે દિવસ પહેલા લોકોને પ્લાઝ્મા ડોનેટ કરવાની પણ અપીલ કરી હતી.