રાજકોટઃ સાતમ-આઠમ નિમિત્તે રાજકોટમાં યોજાયેલા લોકમેળાનું ઉદ્ધાટન ગુરૂવારની મોડી સાંજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરાયું હતું. આ ઉદ્ધાટન કાર્યક્રમમાં સીએમ વિજય રૂપાણીએ ચકડોળમાં બેસી મજા માણી હતી અને તેમણે પોતાના જૂના દિવસોને વાગોળ્યાં હતાં.
લોક મેળાના ઉદ્ઘાટન કાર્યક્રમમાં વિજય રૂપાણી ઉપરાંત પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, ધારાસભ્ય ગોવિંદ પટેલ તથા લાખાભાઇ સાગઠિયા, મ્યુનિ.કમિશ્નર બંછાનિધિ પાની, શહેર પોલિસ કમિશ્નર મનોજ અગ્રવાલ સહિતના અન્ય અધિકારીઓએ પણ મજા માણી હતી.
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં રાજકોટના લોકમેળાનું આગવું મહત્વ છે. દર વર્ષે લાખોની સંખ્યામાં મુલાકાતીઓ આ મેળામાં પહોંચે છે. પાંચ દિવસ ચાલનારા આ મેળામાં અંદાજીત 1 હજારથી વધારે સ્ટોલ અને 50થી વધુ રાઈડ ઈન્સ્ટોલ કરવામાં આવી છે.
રાજકોટમાં યોજાયેલા મેળામાં તમામ રાઈડનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા 78 અધિકારી અને 1300થી વધુ કર્મચારીઓની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.
I engaged on this gambling website and succeeded a substantial cash, but later, my mother fell sick, and I wanted to cash out some funds from my balance. Unfortunately, I encountered difficulties and couldn’t withdraw the funds. Tragically, my mom passed away due to this gambling platform. I request for your assistance in reporting this website. Please help me in seeking justice, so that others do not experience the suffering I am going through today, and prevent them from shedding tears like mine. ???�