સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની જ્યાં હત્યા થઈ તે પાસોદરામાં રોમિયાનો ત્રાસથી પરિણીતાએ અગ્નિસ્નાન કરી લીધું હતું જેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ 8 દિવસની સારવાર બાદ પરિણીતાએ અંતિમ શ્વાસ લીધા હતાં જેને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ ચકચારી ઘટના બાદ પોલીસે તપાસ હાથ ધરી છે. મહત્વની વાત એ છે કે, આવી બે ત્રણ ઘટનાઓને કારણે આખા સુરતમાં હાહાકાર મચી ગયો છે.
સુરતના કામરેજ વિસ્તારમાં આવેલા પાસોદરામાં રોમિયોના ટેલિફોનિક ત્રાસથી પરિણીતાએ કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું જેનું 8 દિવસની સારવાર બાદ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતાં. મોતના સમાચાર સાંભળતાં જ પરીવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
નોંધનીય છએ કે, લગ્નના અઢી વર્ષમાં દોઢ વર્ષથી યુવક ફોન ઉપર વાત કરવા વારવાર દબાણ કરતો હોવાનું અને ગંદી ગાળો આપતો હોવાના ઓડિયો ક્લીપ સામે આવતાં પોલીસે સમગ્ર ઘટનાની તપાસ ચાલુ કરી છે. પરિવારે કહ્યું કે, અમને ન્યાય આપો, સમાજમાં દીકરીઓને બચાવવા કડક પગલાં લેવા જોઈએ.
મૃતક ધારાનો ભાઈ હાર્દિક નાકરાણીએ જણાવ્યું કે, ઘટના લગભગ 12 ફેબ્રુઆરીની છે. બહેનનો પરિવાર કામ પર હતો. પાડોશીઓએ માહિતી આપી કે, તમારા ઘરમાં આગ લાગી છે. દોડીને આવતાં ધારા કેરોસીન છાંટી સળગી ગઈ હતી. તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ધારાનું 20 ફેબ્રુઆરીના રોજ એટલે કે રવિવારે બપોરે મોત નીપજ્યું હતું. ધારાના લગ્નને અઢી વર્ષ જ થયા હતા.
પીડિત પિતા રોહિત મનસુખભાઇ રાદડિયાએ કહ્યું કે, પત્નીને જયદીપ સરવૈયા નામનો યુવક ફોન પર હેરાન કરતો હતો. પત્નીના ફોનમાંથી જયદીપની હેરાનગતિની તમામ ઓડિયો ક્લિપ સાંભળી છે. બસ તું મારી સાથે વાત કર, મને ફોન કર કહી ગંદી ગાળો આપતો હતો. સારવાર દરમિયાન ધારાએ પણ પોતાના અંતિમ નિવેદનમાં બધી જ હકીકત જણાવી છે. અમને ન્યાય મળે એવી જ અપેક્ષા રાખીએ છીએ, કામરેજ પોલીસ હાલ તપાસ કરી રહી છે.