જયપુરમાં એક મહિલાએ પ્રેમી માટે પોતાના પતિને હચમચાવતું મોત આપ્યું જે જોઈને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. પોલીસે સુસાઈડ સમજતી રહી પરંતુ દોઢ મહિના પછી જ્યારે પર્દાફાશ થયો તો પોલીસે પત્નીની વિરુદ્ધ હત્યા સહિતના ગુનાઓ દાખલ કર્યાં હતાં. આ સમગ્ર ઘટનાની તપાસ ચિત્રકુટ પોલીસ સ્ટેશન હેઠળ થઈ રહી છે.
ચિત્રકુટ પોલીસે જણાવ્યું કે, મોતી નગરમાં રહેનાર રામગોપાલે પોતાના પુત્ર રામચરણના મોત બાદ હત્યાની ફરિયાદ નોંધાવી છે. રામગોપાલે પોલીસને કહ્યું કે લગભગ 5 વર્ષ પહેલા પુત્રના લગ્ન ભગવતી નામની મહિલા સાથે કર્યાં હતાં. લગ્ન બાદ ભગવતીએ પુત્રને માતા-પિતાથી અલગ કરી દીધી હતો. પિતાએ કહ્યું કે, અમે ઈચ્છતાં હતાં કે પુત્ર અને વહુ ખુશ રહે પરંતુ અમે એ ના સમજી શક્યા કે વહુ અલગ કેમ રહેવા માંગતી હતી.
થોડા દિવસ પછી ખબર પડી કે વહુએ પુત્રને પરેશાન કરવાનો શરૂ કરી દીધો હતો. પતિ છૂટાછડા માંગતી હતી. આ કારણે પુત્ર તણાવમાં રહેવા લાગ્યો હતો. તેના થોડા દિવસ બાદ ખબર પડી કે જ્યારે પુત્ર કામ પર જતો હતો તો તેજ સિંહ રાઠોડ નામનો વ્યક્તિ દરરોજ વહુની પાસે આવતો હતો અને સાંજે પુત્ર ઘરે આવે પહેલાં તે જતો રહેતો હતો. આ સમગ્ર ઘટના વિશે રામશરણના પિતાએ પોલીસને સીસીટીવી ફુટેજ પણ બતાવ્યા હતા. આ સીસીટીવી ફુટેજના આધારે પોલીસે તપાસ શરી કરી હતી.
પોલીસે કહ્યું કે, ભગવતીએ પોતાના પતિને ખાવામાં ઝેર આપ્યું હતું. તે દિવસે ને દિવસે બિમાર થતો ગયો અને 1 દિવસ તેનું મોત થયું. પહેલા તેને શંકાસ્પદ મોત માનવામાં આવતું હતું પરંતુ હવે આ ઘટનાક્રમ બાદ હત્યા સહિત ઘણા ગુનાઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. ભગવતી હાલ ગાયબ છે અને તેની શોધખોળ કરવામાં આવી રહી છે અને સાથે જ તેજસિંહ નામના વ્યક્તિની પણ શોધખોળ ચાલુ છે.
તમામ તસવીરો પ્રતિકાત્મક છે