જયપુરમાં મંગળવારે પતિએ તેની પત્નીના બોયફ્રેન્ડનું જાહેરમાં ગળું કાપીને હત્યા કરી દીધી છે. આ ઘટના પછી પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે. પોલીસે આખો દિવસ સંભવિત વિસ્તારમાં તપાસ કરી પણ કોઈ સબૂત મળ્યું નહોતું. બુધવારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોલીસે કરેલી તપાસમાં સામે આવ્યું છે કે, યોગેશ કુમાર દિલ્હીમાં જ્યોતિ નગર ઇસ્ટ ગોકુલપુરનો રહેવાસી હતો. લગભગ પાંચ વર્ષ પહેલાં તેની ઓળખ જયપુરમાં રહેતી વર્ષા સાથે સોશિયલ મીડિયામાં થઈ હતી. ધીમે-ધીમે બંને એકબીજાની નજીક આવ્યા હતાં. યોગેશે દિલ્હીથી જયપુર આવીને વર્ષાને છુપાઈને મળવાનું શરૂ કરી દીધું હતું.
પોલીસે જણાવ્યા મુજબ, સોમવારે વર્ષાની 3 વર્ષની દીકરીનો જન્મદિવસ હતો. આ બહાને યોગેશ તેની પ્રેમિકાને દીકરીના જન્મદિવસે દિલ્હીથી જયપુર મળવા આવ્યો હતો. મંગળવારે 4 વાગ્યે યોગેશે વર્ષાને ફોન પર વાતચીત કરી હતી. ત્યારે વર્ષા તેને મળવા માટે રોડ નંબર 17 જવા માટે ઘરેથી નીકળી હતી. ત્યારે તેને એવું લાગતું હતું કે, તેનો પતિ કરણસિંહ સૂઈ ગયો છે, પણ કરણસિંહને આ અંગે શંકા હતી.
તે પત્નીનો પીછો કરતો-કરતો રોડ નંબર 17 સ્થિત ઉદ્યોગ વિહાર કોલોની, વોર્ડ નંબર 5 પહોંચી ગયો હતો. ત્યાં કરણસિંહે તેની પત્નીને તેના બોયફ્રેન્ડ યોગેશ સાથે જોઈને ગુસ્સે થઈ ગયો હતો. તેણે વર્ષા સાથે મારઝૂડ કરી હતી. જ્યારે યોગેશ વચ્ચે પડ્યો તો તેણે ચાકૂના ઘા મારી દીધા હતાં. તેનું ગળું કાપી નાંખ્યું હતપં. યોગેશનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. આ ઘટના પછી કરણસિંહ ત્યાંથી ભાગી ગયો હતો.
જયપુરના વિશ્વકર્મા વિસ્તારમાં રહેતાં કરણસિંહ અને વર્ષાના લગ્ન વર્ષ 2012માં થયા હતાં. તેમને બે જુડવા દીકરીઓ છે. જે 8 વર્ષની છે અને એક દીકરો પાંચ વર્ષનો છે. આ ઉપરાંત ચોથી દીકરી પણ છે.
કરણસિંહેને શંકા હતી કે, દીકરી ગેરસંબંધ દ્વારા જન્મી છે. એવામાં ઘણીવાર વર્ષાનો ઝઘડો થતો હતો. એવી પણ વાત સામે આવી છે કે, હત્યા પહેલાં કરણસિંહે યોગેશ સાથએ ફોન પર વાતચીત કરીને તેને મારી નાંખવાની ધમકી પણ આપી હતી.