Monday, April 15, 2024
Google search engine
HomeFeature Rightગૃહમંત્રી અમિત શાહ 30 સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે

ગૃહમંત્રી અમિત શાહ 30 સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે

અમદાવાદ: કેન્દ્રીય મંત્રી અમિત શાહ 30 સપ્ટેમ્બરના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ પોતાના પૈતૃક ગામ માણસામાં બહુચર માતાજીના મંદિરે દર્શન અને આરતીમાં સામેલ થવાના છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

અમિત શાહને માણસાના બહુચર માતા પર અપાર શ્રદ્ધા છે. આ જ કારણે તેઓ દર વર્ષે નવરાત્રી દરમિયાન સહપરિવાર માતાજીના દર્શન અને આરતી કરવા માટે આવે છે. અમિત શાહને પોતાની રાજકીય કારકિર્દી શરૂ થયા પહેલાથી જ માણસાના આ મંદિર પર ખૂબ આસ્થા છે.

આથી જ ભાજપના કાર્યકર, ધારાસભ્ય, રાજ્યના ગૃહ મંત્રી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને હવે દેશના ગૃહમંત્રી બન્યા બાદ પણ તેઓ આ નવરાત્રીએ માતાજીના દર્શને આવી રહ્યા છે. નોંધનીય છે કે અમિત શાહના પરિવાર દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધાર પણ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page