Wednesday, April 17, 2024
Google search engine
HomeNationalપહેલાં પ્રેમિકાની હત્યા કરી ને પછી પ્રેમીએ તરત જ મંડપમાં જઈને લગ્ન...

પહેલાં પ્રેમિકાની હત્યા કરી ને પછી પ્રેમીએ તરત જ મંડપમાં જઈને લગ્ન કર્યાં

નિક્કી યાદવના હત્યાકાંડમાં આરોપી સાહિલ ગહલોત સતત મોટા-મોટા ખુલાસા કરી રહ્યો છે. પોલીસ પૂછપરછમાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે અને પોતાનાં ઘનાં કરતૂતો અંગે ખુલાસો કર્યો છે. આ કડીમાં કેટલીક કરતૂતોના સબૂત પણ આપ્યા છે. પોલીસે દાવો કર્યો હતો કે, આરોપી સાહિલે નિક્કીની હત્યા બાદ બીજા દિવસે જ તેણે બીજી છોકરી સાથે લગ્ન કરી લીધાં. હવે તેનાં લગ્નની તસવીર સામે આવી છે, જેમાં સાહિલ તૈયાર થયેલ જોવા મળે છે.

સાહિલનાં કરતૂતો અને પોલીસ સાથે તેની સંતાકૂકડી
ઉલ્લેખનિય છે કે, 9 ફેબ્રુઆરીની રાત્રે સાહિલે પોતાની ગર્લફ્રેન્ડ નિક્કી યાદવનું ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ ઢાબામાં તેના શબને સંતાડીને મૂકવામાં આવ્યું હતું. કોઈને શક ન પડે એટલે તેણે પોતાનો ફોન સ્વિચ ઑફ કરી દીધો હતો. પરંતુ પોલીસને ગુપ્ત ઈનપુટના આધારે આ ગુનાની ભનક આવી ગઈ અને આ જ કારણે ઓછા સમયમાં આરોપી સાહિલ કાયદાના સિકંજામાં ફસાઈ ગયો. અત્યારે સાહિલને પાંચ દિવસની ક્રાઈમ બ્રાન્સની કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે. તેની સાથે સવાલ-જવાબ કરવામાં આવી રહ્યા છે.

બીજી તરફ નિક્કી યાદવના હરિયાણાના ઝજ્જરમાં અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા છે. નાના ભાઈ શુભમે મોટી બહેનને મુખાગ્નિ આપી છે. આ દરમિયાન નિક્કીનાં પરિવારજનોની હાલત રડી-રડીને ખરાબ થઈ છે અને તેઓ ન્યાયની માંગણી કરી રહ્યા છે.

નિક્કીના પિતા તો આરોપી સાહિલને ફાંસીની સજા આપવાની માંગણી કરી રહ્યા છે. હવે તેને ફાંસી મળે છે કે નહીં, એ તો કાયદો જ નક્કી કરશે. બુધવારે નિક્કીના પોસ્ટમૉર્ટમ રીપોર્ટ આવ્યા છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, આરોપી સાહિલે નિક્કીનું ગળુ દબાવીને હત્યા કરી છે. સાથે-સાથે એમ પણ જણાવવામાં આવ્યું છે કે, નિક્કીના શરીર પર ઘાનાં બીજાં કોઈ નિશાન નહોંતાં. હજી મૃત્યુનો પરફેક્ટ સમય તો જાણવા નથી મળ્યો, કારણકે લાશને કલાકો સુધી ફ્રિજમાં રાખવામાં આવી હતી.

સૌને અંધારામાં રાખ્યાં સાહિલે
આમ તો પરિવારે હજી સુધી કોઈ આધિકારિક નિવેદન આપ્યું નથી. તેઓ પરેશાન છે અને ન્યાયની માંગણી કરી રહ્યાં છે, તો બીજી તરફ સાહિલનો પરિવાર એમ કહી રહ્યો છે કે, તેઓ આ બધુ જાણતા જ નહોંતા. તેમને નિક્કી વિશે કઈં ખબર જ નહોંતી. સાહિલે પરિવારને નિક્કી બાબતે અંધારામાં જ રહ્યો હતો. તેણે નિક્કીની હત્યા કરી નાખી અને તેના પિતાને માત્ર એટલું જ જણાવ્યું હતું કે, મિત્રો સાથે ફરવા ગઈ છે. એવામાં પોલીસ પણ હવે ઘણા પહેલુઓથી ઘટનાની તપાસ કરી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page