જયપુર: રાજસ્થાનના સીકર જિલ્લાના ગોડિયાવાસ ગામમાં કરંટ લાગવાથી માતા-પુત્રનું મોત થયું હતું. બંનેના અંતિમ સંસ્કાર એક જ ચિતા પર કરવામાં આવ્યા હતા. અંતિમ યાત્રામાં આખું ગામ જોડાયું હતું અને બધાની આંખો ભીની હતી.
ગોડિયાવાસમાં કરંટ લાગતા સુમન કંવર અને તેના પુત્ર યોગેન્દ્રનું મોત નિપજ્યું હતું. કરંટથી પત્ની અને એકનો એક પુત્રને ગુમાવી ચૂકેલા પૂર્ણસિંહનો પરિવાર વેરાન થઈ ગયો છે. પૂર્ણસિંહ પહેલા ઓટો ચલાવતા હતા અને હવે પશુઆહારની ફેક્ટરીમાં મજૂરીનું કામ કરે છે.
બીજી તરફ ઘટના બાદ વિધુત નિગમે પોતાના ભૂલ સ્વીકારી હતી. પોસ્ટમોર્ટમ પછી નિગમ તરફથી પાંચ-પાંચ લાખ રૂપિયા તથા મુખ્યમંત્રી રાહત કોષમાંથી એક-એક લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી હતી.