ભોપાલઃ આજકાલ ભોપાલના સાતપુડા ટાઈગર રિઝર્વ વિસ્તાર ચર્ચામાં છે. આનું કારણ વાઘ નહીં પરંતુ એક ઝાડ છે. આ ઝાડ અંગે કહેવાય છે કે તેને સ્પર્શ કરવાથી અથવા તેને ગળે લગાવવાથી દુઃખ દૂર થાય છે. લોકો આ વૃક્ષને ચમત્કારિક ઝાડ કહી રહ્યાં છે અને આસપાસના લોકોમાં આ વાત ફેલાઈ ગઈ છે, જેથી મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી રહ્યાં છે. પોલીસ માટે આ બાબત માથાનો દુખાવો બની ગઈ છે.
શું છે બનાવ?
ખરી રીતે, એમપીના પિપરિયા શહેરમાં એક મહુડાનું ઝાડ છે. તેના વિશે એમ કહેવાય છે કે ઝાડની અંદર ચમત્કારિક શક્તિઓ છે. અનેક લોકોએ દાવો કર્યો છે કે આ ઝાડને સ્પર્શ કરવાથી બીમારીઓ દૂર થઈ છે. નવરાત્રિ દરમિયાન આ વાત આગની જેમ વાયરલ થઈ હતી. ત્યારબાદથી અહીંયા રોજ હજારો લોકો પૂજા કરવા આવે છે અને ઝાડની પ્રદક્ષિણા ફરે છે.