Friday, April 19, 2024
Google search engine
HomeReligionનોકરીમાં સફળતા જોઈએ? તો ઘરની આ દિશામાં લગાવો 7 દોડતા ઘોડાની તસવીર,...

નોકરીમાં સફળતા જોઈએ? તો ઘરની આ દિશામાં લગાવો 7 દોડતા ઘોડાની તસવીર, અચૂક ફાયદો થશે

અમદાવાદઃ વાસ્તુ અનુસાર નોકરી, વેપાર તથા અભ્યાસમાં સફળતા જોઈતી હોય તો કેટલાંક ખાસ ચિત્રો કે તસવીરો ઘરમાં લગાવવાથી ફાયદો થાય છે. આ તસવીરોથી ઘરમાં પોઝિટિવ અસર થાય છે. આનાથી વાસ્તુ દોષ થતો નથી. ઘરમાં સાત દોડતા ઘોડાની તસવીર લગાવવામાં આવે તો અનેક રીતે ફાયદો થાય છે.

1. વાસ્તુ શાસ્ત્ર અનુસાર દોડતા ઘોડાની તસવીર ઘરમાં લગાવવી જરૂરી છે. કારણ કે આ તસવીર સફળતાને ગતિ આપે છે.

2. સાત દોડતા ઘોડા પ્રગતિ મેળવવા માટે લાભદાયી બને છે. આ સાથે જ સાતનો અંક શુભ માનવામાં આવે છે.

3. સાતનો અંક ઈન્દ્રધનુષના સાત રંગ, સપ્ત ઋષિ, લગ્નના સાત ફેરા, સાત જન્મ સાથે જોડાયેલો છે. આથી જ આ અંકને પ્રાકૃતિક તથા સાર્વભોમિક માનવામાં આવ્યો છે.

4. આ પ્રકારની તસવીર ઘરમાં ગમે ત્યાં લગાવી શકાય પરંતુ પૂર્વ દિશમાં લગાવવામાં આવે તો વધુ ફાયદો મળે છે.

5. આ તસવીર ઘરમાં લગાવતા જ સારી નોકરી, નોકરીમાં પ્રમોશન તથા સમાજમાં માન-મોભો વધે છે. આટલું જ નહીં ધનના યોગ પણ બને છે.

6. આ તસવીરથી ઘરમાં પોઝિટિવ એનર્જી ઉત્પન્ન થાય છે. જે સફળતાની ગેરંટી છે.

7. ધ્યાનમાં રાખો કે એકલા ઘોડાની તસવીર ના લગાવો. આ તસવીર ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે.

8. સાત ઘોડાની તસવીર તમારા કરિયરમાં ગ્રોથ લાવે છે.. આટલું જ નહીં ભણતા બાળકોના રૂમમાં લગાવવામાં આવે તો પણ ફાયદો થાય છે.

9. જો તમે ઓફિસ કે તમારા કાર્ય સ્થળ પર સાત ઘોડાની તસવીર લગાવી શકો તો સુખ-શાંતિ તથા સમૃદ્ધિ મળી શકે છે.

10. યાદ રાખો કે સફેદ ઘોડાની તસવીર વધુ શુભ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page