અમદાવાદઃ વાસ્તુશાસ્ત્રમાં એવા કેટલાંક ઉપાયો બતાવવામાં આવ્યા છે, જેનાથી ઘરની અંદર રહેતી નકારાત્ક ઉર્જાને દૂર કરી શકાય છે. નકારાત્મક ઉર્જા માત્ર ઘરની અંદર નથી હોતી પરંતુ ઘરની આસપાસ પણ હોય છે. એટલે માત્ર ઘરમાં જ નહીં પરંતુ ઘરના મુખ્ય દરવાજાની સામે રહેલી વસ્તુઓનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.
– વાસ્તુ નિયમ પ્રમાણે, ઘરના દરવાજાની સામે થાંભલો કે પછી ઝાડ હોય તો તેનાથી સંતાનને કષ્ટ પડે છે. સંતાનનો ઉછેર યોગ્ય રીતે થઈ શકતો નથી. કરિયરમાં અડચણ આવે છે.
– મુખ્ય દરવાજાની સામે ખાડો અથવા કુવો હોય તો માનિસક બીમારી તથા મુશ્કેલીઓ રહે છે.
– દરવાજાની સામે કિચડ હોય તો ઘરમાં શોક રહે છે.
– દરવાજાની આગળ મુખ્ય રોડ પૂરો થતો હોય તો ઘરમાં મોટું નુકસાન થાય છે.
– ઘરની સામે ગંદું પાણી જમા થાય તો આર્થિક રીતે નુકસાન થાય છે.