નર્મદાઃ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. નર્મદા ડેમમાં હાલ પાણીની સપાટી 138.35 મીટર પહોંચી ગઈ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમમાં હાલ પાણીની આવક 7 લાખ 35 હજાર ક્યુસેક નોંધાઇ છે. ડેમમાં પાણી ભયજનક સપાટીએ ન પહોંચે તે માટે ડેમના 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.
નર્મદા ડેમના દરવાજા ખોલીને હાલ 6 લાખ 15 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવેલ છે. કેવડિયા પાસે આવેલ ગોરા બ્રિઝ 6 દિવસથી રાહદારીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે અને નદી કાંઠાના 175 ગામને એલર્ટ તમામ ગામોમાં ડીટીઓ અને સરપંચો સ્ટેન્ડબાય કરાયા ડેમની મહત્તમ સપાટીથી 55 સે.મી. બાકી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં સારો વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને મધ્ય પ્રદેશનમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના પગલે નર્મદા ડેમમાં વિપુલ માત્રામાં પાણીની આવક થઇ રહી છે. જેના પગલે ડેમની જળ સપાટીમાં સતત વધારો થતો જાય છે. અત્યારે નર્મદા ડેમમાં હાલર 138.35 મીટરની સપાટીએ પહોંચી છે.