શિમલા: હિમાચલ પ્રદેશ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને હિમાચલના છ વખતના સીએમ વીરભદ્ર સિંહે આશ્ચર્ય વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે 55 વર્ષની રાજકીય કારકિર્દીમાં કોંગ્રેસ પાર્ટીની આવી હાર તેમણે ક્યારેય જોઈ નથી. તેમણે જણાવ્યું હતું કે આવી હારની તો ક્યારેય તેમણે કલ્પના પણ નહોતી કરી.
વીરભદ્ર સિંહે કહ્યું કે ભાજપને આશ્ચર્ય પમાડે તેવી જીત મળી છે, જે તેમના કાર્યકર્તાઓની સખત મહેનતનું પરિણામ છે. વીરભદ્ર સિંહેએ પાર્ટી નેતાઓને હાર પર મંથન કરવાની સલાહ આપી હતી અને દાવો કર્યો હતો કે આગામી ચૂંટણીમાં કોંગ્રેસની જીત થશે.
વીરભદ્ર સિંહે કહ્યું કે સીએમ જયરામ ઠાકુર આખા ચૂંટણી પ્રચારમાં પોતાના વિસ્તારમાં રહ્યા હતા અને બહાર નીકળી શક્યા નહોતા. વીરભદ્ર સિંહે આગળ કહ્યું કે હાઈકમાન્ડની સાથે સાથે અમારે બધાએ સામુહિક રીતે હારની જવાદારી લેવી પડશે અને ભવિષ્ય માટે રણનીતિ બનાવીને આગળ વધવુ પડશે, ત્યારે જ કોંગ્રેસને જૂની સ્થિતિમાં પાછા લાવી શકીશું.