અમદાવાદઃ આઠ ઓક્ટોબર (મંગળવાર) ના રોજ દેશભરમાં દશેરાનો તહેવાર સેલિબ્રેટ કરવામાં આવશે. આ તહેવારને વિજયાદશમી પણ કહેવામાં આવે છે. આ દિવસે શ્રીરામે રાવણનો વધ કર્યો હતો. રાવણના ખરાબનું પ્રતિક માનીને લોકો આ દિવસે રાવણના પૂતળાનું દહન પણ કરે છે. રાવણ ભલે રાક્ષસ હતો પરંતુ તેની અંદર એ તમામ ગુણો હતાં, જેની ભગવાને પ્રશંસા કરી હતી. રાવણને અનેક શાસ્ત્રોનું જ્ઞાન હતું. આથી તેને મહાન પંડિત પણ કહેવામાં આવતો હતો. રાવણને જ્યોતિ તથા તંત્ર વિદ્યામાં મહારથ હાંસિલ કરી હતી. રાવણે ‘રાવણ સંહિતા’ની રચના કરી હતી. આની અંદર, એવા ઘણાં ઉપાયો બતાવવામાં આવ્યા છે, જેનાથી કોઈ પણ વ્યક્તિના નસીબ ખુલી શકે છે. દશેરાના પાવન પ્રસંગે જાણીએ કેટલાંક ઉપાયો…
1. આર્થિક સ્થિતિ સુધારવા માટે અને નાણાભીડથી છુટકારો મેળવવા માટે 21 દિવસ સુધી સતત રૂદ્રાક્ષની માળાને લઈને 108 વાર ‘ઓમ હ્રીં શ્રીં ક્લીં નમઃ ધ્વઃ ધ્વઃ સ્વાહા’નો મંત્ર જાપ કરવો.
2. દુર્વાને રાવણ સંહિતામાં ચમત્કારી માનવામાં આવે છે. ધન પ્રાપ્તિ માટે દૂધમાં દુર્વાથી માથા પર તિલક કરવાથી પુષ્કળ ધન મળી શકે છે.
3. રાવણ સંહિતાના મતે, સમાજમાં યશ કીર્તિ વધારવા માટે બિલી પત્ર પીસીને ચંદન સાથે તેનું તિલક હંમેશાં કરવું જોઈએ.
4. ધન સાથેની સમસ્યા ઓછી કરવા માટે ‘ઓમ સરસ્વતી ઈશ્વરી ભગવતી માતા ક્રાં ક્લીં શ્રીં શ્રીં મમ ધનં દેહિ ફટ્ સ્વાહા’નો મંત્ર 108 વાર 40 દિવસ સુધી સતત બોલવાથી લક્ષ્મીની કૃપા થાય છે.