Saturday, April 20, 2024
Google search engine
HomeReligionરોટલીને સામાન્ય ના સમજો, બદલી શકે તમારું નસીબ, બસ કરો આ ચારમાંથી...

રોટલીને સામાન્ય ના સમજો, બદલી શકે તમારું નસીબ, બસ કરો આ ચારમાંથી એક યુક્તિ

અમદાવાદઃ દરેક વ્યક્તિ સુખી જીવન જીવવા માંગતી હોય છે. ઘણીવાર આપણે ઈચ્છીએ તેમ છતાંય ખુશ રહી શકતા નથી. જો તમારી સાથે પણ આમ જ થતું હોય તો ડરો નહીં આજે અમે તમને કેટલાંક ઉપાય બતાવવા જઈ રહ્યાં છે, જેથી તમારું નસીબ ખુલી જશે. રોજ ઘરમાં બનતી રોટલી માત્ર ભૂખ જ નથી મટાડતી પરંતુ નસીબ ચમકાવવાનું કામ પણ કરે છે.

રોટલીના ઉપાયોઃ
1. રસોડામાં બનતી પહેલી રોટલીને ઘી લગાવો અને પછી તેની પર ગોળ મૂકો. ચાર ટુકડા કરો. એક ટુકડો ગાયને, એક કુતરાને, એક કાગડાને અને એક ભીખારીને આપો. આ ઉપાયથી જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થશે.

2. જો તમારે રાહુ-કેતુની પીડા અથવા શનિની પનોતીથી હેરાન હોવ તો આ ઉપાય તમારા માટે રામબાણ સાબિત થઈ શકે તેમ છે. શનિવારે છેલ્લી રોટલી બનાવ્યા બાદ તેમાં સરસીયાનું તેલ લગાવીને ઘરની આસપાસ આવેલા કાળા કૂતરાને ખવડાવો. તમારી તમામ મુસીબતોનો અંત આવી જશે.

3. ઘરમાં આવેલા મહેમાનોને બહારનુ નહીં પણ ઘરે બનાવેલું ભોજન ખવડાવો. તેમાં પણ રોટલી જમાડવાથી ઘરમાં ધનની અછત ક્યારેય વર્તાશે નહીં.

4. જો આ તમામ ઉપાય કર્યાં બાદ પણ તમે ખુશ ના રહેતા હોવ તો એક રોટલી બનાવીને તેના નાના-નાના ટુકડાઓ કરીને અંદર ખાંડ મિક્સ કરીને કીડીઓના દર પૂરવા. આનો તરત જ લાભ મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page