Friday, April 19, 2024
Google search engine
HomeNationalઆ છે દુનિયાના સૌથી નસીબદાર પિતા, ચારેય સંતાનોએ આમ બાપનું નામ રોશન...

આ છે દુનિયાના સૌથી નસીબદાર પિતા, ચારેય સંતાનોએ આમ બાપનું નામ રોશન કર્યું

લખનઉઃ તમે ઘણીવાર વાંચ્યું હશે કે એક જ ગામમાંથી ત્રણ ચાર IAS કે પછી IPSની પરીક્ષા પાસ તયા છે. ગામ સિવાય એક જ ગલીમાં રહેતા હોય ને સાથે આ પરીક્ષા પાસ કરી હોય તેવું બન્યું હશે. જોકે, આજે અમે તમને જે ઘર અંગે વાત કરવાના છીએ ત્યાં એક કે બે નહીં પરંતુ પૂરા ચાર આઈએએસ અધિકારી છે અને આ ચારેય ભાઈ-બહેન છે.

નસીબદાર પિતાઃ
યુપીના પ્રતાપગઢમાં રહેતા અનિલ મિશ્રાને ચાર બાળકો છે. ત્રણ દીકરાઓ તથા એક દીકરી. અનિલને પોતાના આ ચારેય સંતાનો પર ગર્વ છે. આખરે કેમ ગર્વ ના હોય? આ ચારેય IAS અધિકારી છે.

ચારેય સંતાનો IAS બનશે ખ્યાલ નહોતોઃ
અનિલને ચારેય સંતાનો સાથે વાત કરવામાં ઘણો જ ગર્વ થાય છે. તેમણે કહ્યું હતું કે તેમને ચારેય સંતાનો પર વિશ્વાસ હતો કે તેઓ જીવનમાં કંઈક સારું કરશે પરંતુ આ વિશ્વાસ બિલકુલ નહોતો કે ચારેય દેશના આટલા મોટા પદ પર બેસશે.

સરળ જીવનઃ
અનિલ પોતે સરકારી બેંકમાં મેનેજર છે. સાદગીથી જીવન જીવનાર પિતાએ એવું જ સપનું જોયું હતું કે દીકરાઓ સરકારી નોકરી કરે.

આ વર્ષે બંને બાળકો IAS બન્યા:
બે સંતાનો ગયા વર્ષે IAS બન્યા હતાં, જયારે બાકીના ના બે સંતાનોએ આ વર્ષે IASની પરીક્ષા પાસ કરીને પિતાના સપનાને હકીકતમાં બદલી નાખ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page