પાટણના સિદ્ધપુરમાં આવેલા કલ્યાણા ગામના વતની અને હાલ અમદાવાદમાં સ્થાયી થયેલા પરિવારની ડોક્ટર દિકરીએ પોતાના જ સગાભાઈ અને ભત્રીજીને ઝેરી દવા પીવડાવીને હત્યા કરી નાખી હતી. આ સમગ્ર ઘટનાની ફરિયાદ ખુદ પિતાએ જ પુત્રી સામે કરી હતી. પાટણ પોલીસે યુવતીની અટકાયત કરી હતી અને તેની પૂછપરછ હાથ ધરી હતી. કિન્નરીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.
કિન્નરીએ તેના પરિવાર સમક્ષ બે હત્યાની કબુલાત કરતાં જણાવ્યું હતું કે, જીગરભાઈને હું અવાર-નવાર ધતુરાના ફુલના બીજ પાણીમાં ઉકાણીને ગ્લુકોણમાં ભેળસેળ કરીને તેમને પાણીની બોટલમાં ભરી આપતી હતી. આ ઉપરાંત ગામડે ગયા હતા તે સમયે પણ મેં જીગરની બોટલમાં ધતુરાના બીજનું પાણી ભેળવી દીધું હતું ત્યાર બાદ પીધા પછી તેઓ ગાંડા જેવા થઈ ગયા હતા. ત્યાર બાદ ખાટલામાં સુવડાવીને કોઈની નજર ન પડે તે રીતે દવાની કેપ્સુલમાં ઝેરી દવા આપી દીધી હતી.
ઝેરી દવા જીગરભાઈના મોઢામાં નાંધી દીધેલ તેવી કબૂલાત કરી હતી. તેવી જ રીતે માહીન પણ ઘોડિયામાં સુતી હતી તે દરમિયાન ઝેરી દવા તેના મોઢામાં મુકી દીધી હતી અને ભૂમિબેનને પણ સવારે ધતુરાના બીજનું પાણી ગ્લુકોણમાં ભેળવીને આપી હોવાનું કબૂલાત કરી હતી. જોકે આવું કેમ કર્યું તેની પાછળનું કારણ જણાવ્યું નથી.