Tuesday, April 23, 2024
Google search engine
HomeBollywood‘અંજલિ ભાભી’ Real lifeમાં છે એકદમ ગ્લેમરસ, જુઓ નાનપણની તસવીરો

‘અંજલિ ભાભી’ Real lifeમાં છે એકદમ ગ્લેમરસ, જુઓ નાનપણની તસવીરો

ટીવીનો મોસ્ટ પૉપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હાલમાં સમાચારોમાં છે. શોમાં ફેરફારને લઈને રોજ કાંઈકને કાંઈક નવું સાંભળવા મળે છે. હાલમાં જ શોની સ્ટાર કાસ્ટમાં ફેરફાર કરવામાં આવ્યા. સીરિયલમાં હવે અંજલિ ભાભીનો રોલ નેહા મહેતાની બદલે સુનૈના ફૌજદાર નિભાવી રહી છે. હાલમાં જ શોના પ્રોડ્યૂસર અસિત મોદીએ જણાવ્યું કે નેહાએ શોમાં પાછા ફરવાની ઈચ્છા જાહેર કરી રહી, પરંતુ રિપ્લેસમેન્ટ કરવામાં આવ્યું છે. અસિતે કહ્યું કે, નેહા કાંઈક અલગ કરવા માંગતી હતી અને તેણે પોતાની ચિંતાઓ વિશે જણાવ્યું હતું. જણાવી દઈએ કે રિયર લાઈફમાં નેહા ખૂબ જ ગ્લેમરસ છે. એટલું જ નહીં માસ્ટર ડિગ્રી હોલ્ડર પણ છે.

જણાવી દઈએ કે ગુજરાતની નેહાએ પરફૉર્મિંગ આર્ટ્સમાં માસ્ટર્સ અને ડ્રામામાં ડિપ્લોમાં કર્યું છે. તેના પિતા જાણીતા લેખક છે અને તેમના કારણે જ તેમણે એક્ટિંગ કરવાનું શરૂ કર્યું છે.

નેહા સારી ડાન્સર છે અને ભરતનાટ્યમમાં માહેર છે. તે બહુ પહેલાથી થિએટર સાથે જોડાયેલી છે અને ક્લાસિકલ ડાન્સર પણ છે.

અનેક વર્ષો સુધી ગુજરાતી થિએટરમાં કામ કર્યા બાદ તેણે સૌથી પહેલા ટીવી શો ડૉલર બહૂમાં કામ કર્યું. જે બાદ તેણે ભાભીમાં કામ કર્યું. જે બાદ તેણે સો દાડા સાસુના, રાત હોને કો હૈ અને દેશ મે નિકલા હોગા ચાંદ જેવી સીરિયલ્સમાં કામ કર્યું.

તેણે ગુજરાતી સાથે સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ત્યાં સુધી કે સંજય દત્ત સાથેની ફિલ્મ ઈએમઆઈમાં વકીલનો કિરદાર નિભાવ્યો હતો.

2002માં નેહાના કો સ્ટાર હંટ-મલ્ટી ટેલેન્ટ શોમાં ઑડિશનથી પસંદ કરવામાં આવી હતી. જે બાદ તે મુંબઈ આવી ગઈ અને એક્ટિંગની સફર શરૂ કરી. મુંબઈમાં તેણે નાની-મોટી ગુજરાતી સીરિયલ્માં પણ કામ કર્યું.

આ દરમિયાન તેને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અંજલિનો રોલ મળ્યો. આ સીરિયલમાં કામ કર્યા બાદ તેણે પાછું વળીને નથી જોયું.

મીડિયા રિપોર્ટસ અનુસાર 42 વર્ષની નેહા આજે પણ સિંગલ છે. એક ઈન્ટરવ્યૂમં તેણે કહ્યું હતું કે તેને લગ્નની ઉતાવળ નથી. તેના આશા છે કે, એવો પતિ મળે જેને દરેક સંબંધની કદર હોય અને તેને ગંભીરતાથી લે.

નેહાએ શો છોડ્યા બાદ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે સેલિબ્રિટી છે એટલે આ શોમાં હતી, એવું નથી કે તે શોના કારણે સેલિબ્રિટી બની. સેટ પર તેને કહેવામાં આવ્યું હતું કે, કામ કરવું હોય તો કરો નહીં તો છોડી દો. મેકર્સે નેહાને એવું પણ કહ્યું કે, તેને કામ ન કરવું હોય તો રિપ્લેસમેન્ટ તૈયાર છે. એવામાં નેહાએ શો છોડવાનું મન બનાવી લીધું.

જો કે પહેલા અહેવાલો આવ્યા હતા કે નેહાનું શો છોડવાનું કારણ કરિયર છે. નેહાએ આ નિર્ણય પોતાના કરિયરમાં સારા રોલ પામવા માટે લીધો. કારણ કે જ્યારથી શો શરૂ થયો છે ત્યારથી તે એક જ કિરદારમાં બંધાઈ ગઈ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page