કિંજલ બ્રહ્મભટ્ટ, અમદાવાદઃ ભગવાનને પણ તમારા આરોગ્યનો ખ્યાલ છે, એટલે જ તો પ્રસાદમાં નારિયળ વહેંચાય છે. આજે અમે નારિયેળમાંથી લાડુ કેવી રીતે બનાવાય તે શીખવીશું. નારિયેળના લાડુ ઉપવાસમાં પણ લઈ શકાય છે.
સામગ્રી:
1.5 કપ છીણેલું નારિયળ
3/4 કપ ગોળ (ઓર્ગેનિક કાળો ગોળ વાપરવું વધુ સારું)
1/4 ચમચી ઈલાયચી પાવડર
1/4 કપ પાણી
ઘી કે તેલ (લડ્ડુ વળતા હથેળી પર લગાવવા માટે)
રીત:
1. ગોળને પાણી ગરમ કરી ઓગાળી લો
2. નારિયળને ફૂડ પ્રોસેસરમાં છીણી લો
3. નોનસ્ટિક પર નારિયળની છીણને 5 મિનિટ સુધી શેકી, તેમાં ગોળ વાળુ ગરમ પાણી રેડો
4. જ્યાં સુધી ગોળનું બધું જ પાણી બળી ના જાય ત્યાં સુધી ધીમી થી માધ્યમ આંચ પર મિશ્રણને પકવો
5. જયારે પાણી બળી જાય એટલે તેમાં ઈલાયચી પાવડર નાખી સરસ મિક્સ કરો
6. 5 મિનિટ ઠંડુ પાડવા દો અને હાથને ઘી કે તેલ વાળા કરી નાના-નાના લડ્ડુ વાળો
7. મિશ્રણ વધુ ઠંડુ ના પાડવા દો.
8. આને તમે થાળીમાં ઠારીને પીસ પણ પાડી શકો છો
નોંધઃ ગોળની બદલે તમે કન્ડેન્સ મિલ્ક પણ વાપરી શકો છે.