Friday, April 19, 2024
Google search engine
HomeBollywoodગ્લેમર વર્લ્ડની કાળી હકીકત જાણ્યા બાદ આ લોકપ્રિય એક્ટ્રેસે લઈ લીધો સંન્યાસ

ગ્લેમર વર્લ્ડની કાળી હકીકત જાણ્યા બાદ આ લોકપ્રિય એક્ટ્રેસે લઈ લીધો સંન્યાસ

બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ એવી છે, જેઓ સિનેમાની દુનિયાને અલવિદા કરી ચૂકી છે. જેમાં કોઈ પરિવાર સંભાળે છે તો કોઈ પોતાના વ્યવસાયમાં વ્યસ્ત છે. એક એક્ટ્રેસ એવી પણ છે, જેણે ફિલ્મી દુનિયાને અલવિદા કહી દીધું છે અને બૌદ્ધ ભિક્ષુક બની ગઈ છે. તેનું નામ છે બરખા મદાન.

બરખા મદાન 10 વર્ષ પહેલાં જ ફિલ્મી દુનિયા છોડીને બૌદ્ધ ભિક્ષુક બની ગઈ છે. તેનો મોટાભાગનો સમય હિમાચલ પ્રદેશની ધર્મશાળામાં પસાર થાય છે.

બરખા મદાને બૌદ્ધ ધર્મ તો અપનાવ્યો જ છે, સાથે-સાથે પોતાનું નામ પણ બદલ્યું છે. હવે તેનું નામ Gyalten Samten છે.

બરખા મદાન એક સમયે જાણીતી મોડેલ હતી. તે મિસ ઈન્ડિયા સ્પર્ધા 1994 માં વિનર સુષ્મિતા સેન અને ઐશ્વર્યા રાય સાથે ફાઈનલિસ્ટ બની હતી.

બરખાએ તેનું ફિલ્મી કરિયર અક્ષય કુમાર સાથે ફિલ્મ ખિલાડીઓ કા ખિલાડીઓથી શરૂ કર્યું હતું. ત્યારબાદ તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી.

બરખા મદાન માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ વિદેશી ફિલ્મોમાં પણ જોવા મળી. તેણે પંજાબી ફિલ્મોમાં કામ કર્યું અને પ્રોડ્યૂસ પણ કરી.

બરખાના યાદગાર રોલમાં રામ ગોપાલ વર્માની ફિલ્મ ભૂતમાં નિભાવેલ ભૂતનો રોલ છે. બરખા મદાને ફિલ્મોની સાથે-સાથે ટીવી સીરિયલ્સમાં પણ કામ કર્યું છે અને કેટલાક શોઝ હોસ્ટ પણ કર્યા છે.

પરંતુ પછી અચાનક જ બરખા મદાનનો ગ્લેમર ઈંડસ્ટ્રી સાથે મોહભંગ થઈ ગયો. તે નન બની ગઈ. નન બન્યા બાદ તેણે બૌદ્ધ ધર્મ અપનાવી લીધો અને આજે બૌદ્ધ ભિક્ષુક તરીકે પોતાનું જીવન જીવી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page