મુંબઈઃ મુંબઈમાં ગોવંડી રેલવે સ્ટેશન પર એક ભિખારીનું લોકલ ટ્રેનની ટક્કરથી શુક્રવાર (4 ઓક્ટોબર) ના રોજ નિધન થયું હતું. રેલવે પોલીસ જ્યારે ભિખારીના પરિવારજનોની શોધમાં તેના ઘરે ગઈ ત્યારે તેના હોશ ઉડી ગયા હતાં.
કેમ ચોંકી ગઈ
રેલવે પોલીસ જ્યારે ભિખારીની ઝૂંપડીમાં ગઈ ત્યારે બોરીઓ તથા થેલીઓ મળી હતી, જેમાં બે લાખ રૂપિયાના સિક્કા તથા રોકડ હતી. પોલીસને આ સિક્કા ગણવામાં આઠ કલાક જેટલો સમય થયો હતો.