Sunday, May 5, 2024
Google search engine
HomeBollywoodરણબીર અને આલિયાએ 13 તારીખે કેમ મહેંદી સેરેમની રાખી તે જાણી તમને...

રણબીર અને આલિયાએ 13 તારીખે કેમ મહેંદી સેરેમની રાખી તે જાણી તમને નહીં થાય વિશ્વાસ

13 એપ્રિલના રોજ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની મહેંદી સેરેમની થઈ હતી. મહેંદીની રસમ પૂર્ણ થઈ ગઈ છે અને હવે ચાહકોને તેમની તસવીરોની રાહ જોઈ રહ્યાં છે. રિપોર્ટ્સ પ્રમાણે, સંગીત સેરેમની મોડી રાતે શરૂ થઈ હતી. સંગીત ફંક્શન બાદ કપૂર અને ભટ્ટ પરિવાર જોઈન્ટ ડિનર કર્યું હતું. આ પ્રી-વેડિંગ ફેસ્ટિવિટિઝ પહેલા રણબીરના ઘરમાં ગણેશ પૂજા કરવામાં આવી હતી. વેન્યુથી સતત તસવીરો સામે આવી રહી છે.

આલિયાની મહેંદી સેરેમનીમાં રણબીરની માતા અને અભિનેત્રીની ભાવી સાસૂ નીતુ કપૂરની આંખોમાં આસું આવી ગયા હતાં. એક સુત્રના જણાવ્યા પ્રમાણે, નીતુને પોતાની મહેંદી સેરેમનીની યાદો આલિયાની સાથે શેર કરી હતી. તેમણે ઋષી કપૂરની સાથે પોતાની મહેંદીની યાદગાર પળોને શેર કરી હતી. નીતૂ અને આલિયાની માતા સોની રાજદાન એકબીજાને બહુ ખાસ કનેક્શન શેર કરે છે. મહેંદી સેરેમની બાદ સોની અને શાહીન ભટ્ટને વાસ્તુથી બહાર પોતાની કારમાં જતાં જોવા મળ્યાં હતાં. ફંક્શનમાં શ્વેતા બચ્ચન પણ પોતાના પતિ નિખિલ નંદાની સાથે પહોંચી હતી.

મહેંદી ફંક્શનમાં ઢોલ અને લોક ગાયકોને ઈન્વાઈટ કરવામાં આવ્યા હતાં. સેરેમનીમાં ફક્ત પરિવારના સદસ્યો, કરણ જોહર, અયાન મુખર્જી, મિત્ર આરતી શેટ્ટી જોવા મળ્યા હતાં. મહેંદી સેરેમની માટે ખાસ લાલ અને યલો રંગના કમળના ફૂલોથી સજાવટ કરવામાં આવી હતી. મહેમાનોને મહેંદી સેરેમની પૂર્ણ થયા બાદ ગણેશ પૂજાનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. કરણ જોહર મહેંદી સેરેમનીમાં હોસ્ટ બન્યા હતાં. ત્યારે અયાન અને આલિયા ભટ્ટ સાઈડમાં ઉભા હતાં.

આલિઆ ભટ્ટની મહેંદી સેરેમની થઈ ગઈ છે અને તેની મહેંદીની ડિઝાઈન બહુ જ ખાસ છે. આલિયાએ મહેંદી ડિઝાઈનમાં 8 નંબરનું કનેક્શન છે. તેની મહેંદી ઓર્ગેનિક મહેંદી છે. એક સુત્રએ જણાવ્યું હતું કે, આલિયાએ પોતાની મહેંદી માટે મહેંદી આર્ટિસ્ટને ખાસ ઈંસ્ટ્રક્શન આપ્યું હતું. તેની મહેંદીમાં ઈનફિનિટી ડિઝાઈન છે અને 8 નંબર છે.

આલિયાના હાથોમાં મહેંદી લગાવવામાં આવી છે. આ અમે નહીં પરંતુ આલિયાના પાપા મહેશ ભટ્ટ અને બહેન પૂજા ભટ્ટની તસવીર કહી રહી છે. પોતાના હાથોમાં લગાવેલ મહેંદી પૂજા ભટ્ટે ફોટોગ્રાફર્સને બતાવી હતી. તેની મહેંદી જોઈને કહી શકાય કે, આલિયાના હાથોમાં પણ રણબીરના નામની મહેંદી લગાવવામાં આવી ચૂકી છે.

13 એપ્રિલ એટલે આજે આલિયા અને રણબીરનું મહેંદી ફંક્શન છે. આમ તો મૂહુર્તના પ્રમાણે લોકો તારીખ પસંદ કરે છે. પરંતુ રણબીર અને આલિયાએ 13 તારીખ કેમ પસંદ કરી છે તેનું પાછળ ખાસ કારણ છે. જોકે, રણબીરના પિતા ઋષિ કપૂરે 13 એપ્રિલ 1979ના દિવસે પોતાના લેડી નીતૂ સાથે સગાઈ કરી હતી. આ ખાસ દિવસને નીતૂ કપૂરે પોતાના પુત્ર માટે પસંદ કર્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page