Friday, May 3, 2024
Google search engine
HomeFeature Rightવૈંકયા નાયડૂએ કહ્યું, હવે સુષ્માજી પાસે રાખડી બંધાવવાનું સૌભાગ્ય નહીં મળે

વૈંકયા નાયડૂએ કહ્યું, હવે સુષ્માજી પાસે રાખડી બંધાવવાનું સૌભાગ્ય નહીં મળે

નવી દિલ્હી: મંગળવારે રાતે દિલ્હીની એમ્સમાં પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું નિધન થયું છે. તેમને છાતીમાં દુખાવા બાદ એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સોશિયલ મીડિયા પર દેશ-વિદેશના નેતાઓ અને ફિલ્મજગતની હસ્તીઓ સહિત વિવિધ ક્ષેત્રના સેલેબ્સે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

આ દરમિયાન બુધવારે ભાજપ અને કોંગ્રેસ સહિતના નેતાઓ સુષ્મા સ્વરાજના ઘરે જઈને શ્રદ્ધાંજલિ આપી હતી. રાજ્યસભામાં સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સ્પીકર વૈંકયા નાયડૂએ કહ્યું હતું કે, તે મારાં બહેન હતા અને મને અન્ના કહીને બોલાવતા હતા.

દર વર્ષે રાખડી બાંધવા માટે મારા ઘરે આવતાં હતા. પરંતુ મને હવે આ સૌભાગ્ય નહીં મળે. રક્ષાબંધનના દિવસે એમને બહુ યાદ કરીશ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page