Friday, May 10, 2024
Google search engine
HomeReligionહાથની રેખાઓમાં છુપાયેલું હોય છે રાજયોગનું સુખ, હથેળીમાં ધનુષ્ય હોય તો લક્ષ્મી...

હાથની રેખાઓમાં છુપાયેલું હોય છે રાજયોગનું સુખ, હથેળીમાં ધનુષ્ય હોય તો લક્ષ્મી દેવી રહે છે પ્રસન્ન!

અમદાવાદઃ જે રીતે જ્યોતિષશાસ્ત્રમાં કોઈ પણ વ્યક્તિની કુંડળીનો અભ્યાસ કરીને તેના ભવિષ્ય અંગે બતાવી શકે છે, તે જ રીતે હસ્તરેખા જ્યોતિષમાં હાથની રેખાઓ જોઈને ભવિષ્ય જણાવી શકાય છે. અનેક વ્યક્તિઓની હાથની રેખામાં રાજયોગનું સુખ હોય છે. રાજયોગનો અર્થ મંત્રી, મુખ્યમંત્રી, રાજદૂત, રાજ્યાધિકારી, રાજ્યપાલ, ન્યાયધીશ, વકીલ વગેરે યોગથી થાય છે. જેની હથેળીના વચ્ચે ઘડો, ઝાડ તથા ધ્વજનું નિશાન હોય, તે રાજસુખ ભોગવે છે. આ ઉપરાંત જેનું કપાળ પહોળું તથા ભૂજા લાંબી હોય તે પણ રાજસુખ ભોગવે છે.

– જે વ્યક્તિની હથેળીમાં ધનુષ્ય, કમળ, આસન અથવા ચતુષ્કોણ હોય છે, તેની પર લક્ષ્મી દેવી હંમેશાં પ્રસન્ન રહે છે.

– જેના હાથમાં મણિબંધથી શનિ રેખા મધ્યમા આંગળી પર જાય તો તે રાજસુખ ભોગવે છે.

– જેના હાથમાં તલવાર, પર્વત, હળ જેવું ચિહ્ન બનેલું હોય તો તેની પાસે લક્ષ્મીની ક્યારેય અછત થતી નથી.

– જ્યારે સૂર્ય રેખા મસ્તક રેખાને મળે ત્યારે તે વ્યક્તિ મુખ્યમંત્રી તથા રાજ્યપાલ જેવા મહત્વના પદ પર બેસે છે.

– જે જાતકના હાથમાં ગુરુ, સૂર્ય પર્વત ઉચ્ચનો હોય તો તે રાજ્યપાલ બને છે.

– જેની હથેળીમાં શનિ પર્વત પર ત્રિશૂળ ચિહ્ન હોય તો તે રાજ્યધિકારી હોય છે.

– જ્યારે મંગળ પર્વત વધુ ઊંચો હોય અને સૂર્ય રેખા પ્રબળ હોય તો તે કલેક્ટર અથવા કમિશ્નર બને છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page