Tuesday, May 21, 2024
Google search engine
HomeInternationalભારતીય બિઝનેસમેને પાકિસ્તાનના ગરીબ જીલ્લામાં હેન્ડ પંપ લગાવ્યા ને કહ્યું, ''પુલવામા ઘટના...

ભારતીય બિઝનેસમેને પાકિસ્તાનના ગરીબ જીલ્લામાં હેન્ડ પંપ લગાવ્યા ને કહ્યું, ”પુલવામા ઘટના બાદ…”

ઈસ્લામાબાદઃ ભારત-પાકિસ્તાન વચ્ચે હાલમાં સ્થિતિ ઘણી જ તણાવગ્રસ્ત છે. આનાથી વિપરિત દુબઈ રહેતા મૂળ ભારતીય બિઝનેસમેને પાકિસ્તાનના દક્ષિણ-પૂર્વ સિંધ પ્રાંતના અત્યંત ગરીબ વિસ્તારમાં 62 હેન્ડ પંપ લગાવ્યા. આટલું જ નહીં અનાજ પણ વહેંચ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, જોગિંદર સલારિયાએ સોશિયલ મીડિયા દ્વારા થારપરકર જિલ્લાની કરૂણ સ્થિતિ જાણ્યાં બાદ સ્થાનિક કાર્યકર્તાઓની મદદથી 62 હેન્ડ પંપ લગાવ્યા હતાં.

અનાજ પણ મોકલાવ્યું
1993થી સંયુકત અરબ અમીરાતમાં રહેતા જોગિંદરે આ જીલ્લામાં અનાજ પણ મોકલાવ્યું છે. તેઓ દુબઈમાં ટ્રાન્સપોર્ટના ધંધામાં જોડાયેલા છે. તેમણે કહ્યું હતું કે ફેસબુક તથા યુ ટ્યૂબ દ્વારા તેઓ પાકિસ્તાનના સ્થાનિક કાર્યકર્તાઓ સુધી પહોંચ્યા હતાં. તેમનો સંપર્ક સાધીને આર્થિક મદદ કરી હતી. વધુમાં જોગિંદરે કહ્યું હતું કે પુલાવામા ઘટના બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણામ ચરમ સીમા પર હતો. ત્યારે તેઓ પાકિસ્તાનના ગરીબ ગામમાં હેન્ડ પંપ લગાવતા હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page