Thursday, May 16, 2024
Google search engine
HomeRecipeરાજગરો છે અનેક રીતે ઉપયોગી, ઉપવાસમાં બનાવો રાજગરાનો ફરાળી ઉપમા

રાજગરો છે અનેક રીતે ઉપયોગી, ઉપવાસમાં બનાવો રાજગરાનો ફરાળી ઉપમા

કિંજલ બ્રહ્મભટ્ટ, અમદાવાદઃ શ્રાવણના ઉપવાસમાં રાજગરાની વાનગીઓના બનાવાય એવું તો બની જ ના શકે. પણ શું તમે જાણો છો કે રાજગરો સ્વાસ્થ્ય માટે અતિઉત્તમ છે. રાજગરો મૂળ રીતે અમેરિકામાં મળી આવ્યો હતો અને ત્યાંથી તે ભારત આવ્યો. રાજગરો એકમાત્ર એવું અનાજ છે, જેમાં વિટામિન C હોય. રાજગારમાં રહેલું મેગ્નેશ્યમ ધમનીઓને બ્લૉક થતી રોકે છે. રાજગરો અનસેચ્યુરેટેડ ફેટ્ટી એસિડથી ભરપૂર છે જે કોલેસ્ટરોલને વધવા નથી દેતું.

તો ચાલો, આજે રાજગરાનો ફરાળી ઉપમા બનાવીએ

સામગ્રી:

1 કપ રાજગરો
2 કપ સાધારણ ગરમ પાણી
1/4 ઝીણું સમારેલું ગાજર
1 ચમચી સીંગદાણા
1/2 ચમચી આખા ધાણા
2 લીલા મરચા ઝીણાં સમારેલા
1 ચમચી જીરું
5-6 મીઠા લીમડાના પત્તા
1 કે 2 ચમચી ઘી (વધાર માટે)
સિંધાલુણ સ્વાદ અનુસાર
ગાર્નિશિંગ માટે કોથમીર, દાડમના દાણા અને નારિયળની છીણ

રીત:

1. રાજગરાનો કોરો જ કઢાઈમાં શેકો.
2. બીજી બાજુ 2 કપ પાણી નવશેકું કરી ગેસ બંધ કરો
3. શેકાઈ જાય એટલે એક અલગ પ્લેટમાં કાઢી લો
4. કઢાઈમાં વઘાર માટે ઘી મૂકો
5. તેમાં જીરું અને મીઠો લીમડો નાંખો
6. તેમાં સીંગદાણા, ગાજર અને લીલું મરચું નાંખો
7. થોડીવાર સીજવા દો
8. તેમાં રાજગરાનો શેકેલો લોટ નાંખી મિશ્રણને મિક્સ કરો
9. તેમાં સ્વાદાનુસાર સિંધાલુણ નાંખો
10. બધું મિક્સ થઇ જાય પછી તેમાં નવશેકું કરેલું પાણી નાંખી ઢાંકી દો.
11. 15 થી 20 મિનિટ સુધી માધ્યમ આંચ પાર ઉપમાને ચડવા દો
12. વચ્ચે વચ્ચે ચમચાથી હલાવો અને જો પાણી પાણી ઓછું લાગે તો ઉમેરો
13. વધુમાંવધુ 20 મિનિટની અંદર રાજગરાનો ઉપમા તૈયાર થઇ જશે
14. ગરમાગરમ પીરસો અને ચ્હા સાથે શ્રાવણ મહિનાની સોહામણી સવારમાં રાજગરાના ઉપમાનો નાસ્તો માણો.

નોંધ: પાણી કેટલું જોઈશે તે રાજગરાની ગુણવત્તા પાર નિર્ભર કરે છે. જો રાજગરો વધુ પાણી પીવે, તો વધારે ઉમેરવું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page