Sunday, May 19, 2024
Google search engine
HomeGujaratઅંબાજી જતા પદયાત્રીઓને કારે જીવતા કરી નાખ્યા, 7 લોકોના કમકમાટીભર્યા મોત

અંબાજી જતા પદયાત્રીઓને કારે જીવતા કરી નાખ્યા, 7 લોકોના કમકમાટીભર્યા મોત

ગુજરાતમાં એક ગોજારો અકસ્માત સામે આવ્યો છે. એક કાર અંબાજી ચાલીને જતા પદયાત્રીઓ માટે મોત બનીને આવી હતી. ગમખ્વાર અકસ્માતમાં એક સાથે 7 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઇનોવા કારચાલકે સર્જેલા અકસ્માતમાં 9 લોકોને ગંભીર ઈજા પહોંચી છે.

અરવલ્લી જિલ્લાના ના કૃષ્ણાપુર પાસે એક ગોઝારો અકસ્માત સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ડ્રાઈવર ગઈકાલે પુણેથી સતત 20 કલાકથી કાર ચલાવતો હતો. ચાલકની બેદરકારીના કારણે 7 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જો કાર ટોલ બુથના પિલ્લર સાથે અથડાઈ ન હોત તો મૃત્યુઆંક વધુ હોત.

મૃતકોના પરિવારજનોને રૂ.4 લાખની સહાયની જાહેરાત
આ ઘટના અંગે મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટમાં કહ્યું હતું કે અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલા અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે.

અકસ્માતમાં જાન ગુમાવનારા યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય આપશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page