Thursday, May 16, 2024
Google search engine
HomeGujaratકથિત પ્રેમ પ્રકરણ: ગુજરાત કેડરના IAS ગૌરવ દહિયાને આખરે સસ્પેન્ડ કરાયા

કથિત પ્રેમ પ્રકરણ: ગુજરાત કેડરના IAS ગૌરવ દહિયાને આખરે સસ્પેન્ડ કરાયા

દિલ્હી સ્થિત મહિલાના શોષણ મામલે ગુજરાત કેડરના આઈએએસ દહિયાને હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતના સીએમ વિજય રૂપાણીના આદેશ બાદ આઈએએસ ગૌરવ દહિયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તપાસ સમિતીના રિપોર્ટ બાદ આઈએએસ ગૌરવ દહિયા વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે.

દિલ્હી સ્થિત મહિલાના શોષણ મામલે આઈએએસ દહિયા પોલીસની સતત નોટિસોની અવગણના કરી રહ્યા હતા. અત્યાર સુધી ગાંધીનગર પોલીસે તેઓને હાજર થવા માટે ત્રણ-ત્રણ નોટિસ નોકલી છે જોકે તમામ નોટિસોની દહિયાએ અવગણના કરી હતી.

મહત્વની વાત છે કે, પોલીસે ગૌરવ દહિયાને ચાર વખત નોટીસ મોકલી છે. જો આ વખતે દહિયા પોલીસ સમક્ષ હાજર નહીં થાય તો પોલીસ તેમની સામે ગુનો નોંધશે. આ અંગે પોલીસ એસ.પી.ને રિપોર્ટ કરશે.

ગયા અઠવાડિયે સરકારે રચેલી તપાસ કમિટી સમક્ષ ગૌરવ દહિયા હાજર થયા હતાં. જ્યાં દહિયાની છથી સાત કલાક મેરેથોન પુછપરછ કરવામાં આવી હતી. જોકે દહિયા પોલીસ સમક્ષ હાજર થતાં નથી. તે સિવાય અગાઉ અહીંથી પોલીસે દિલ્હી જઈને મહિલાનું નિવેદન પણ લીધું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page