Monday, May 20, 2024
Google search engine
HomeNationalબીજી વખત વરરાજા બનશે ભગવંત માન, આવતી કાલે આ દુલ્હન સાથે કરશે...

બીજી વખત વરરાજા બનશે ભગવંત માન, આવતી કાલે આ દુલ્હન સાથે કરશે લગ્ન

ચંદીગઢ : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ફરીથી લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. ભગવંત માનના લગ્ન ડોક્ટર ગુરપ્રીત કૌર સાથે થશે. મળેલી જાણકારી પ્રમાણે ભગવંત માન માટે યુવતી તેમની માતા અને બહેને પસંદ કરી છે. આ લગ્નમાં ફક્ત પરિવારના લોકો ઉપસ્થિત રહેશે. નવા કપલને આશીર્વાદ આપવા માટે અરવિંદ કેજરીવાલ કાર્યક્રમમાં સામેલ થશે. જાણકારી પ્રમાણે ભગવંત માનની માતાની ઇચ્છા હતી કે પંજાબના મુખ્યમંત્રી ફરીથી પોતાનું ઘર વસાવે. રિપોર્ટ પ્રમાણે ભગવંત માન આવતીકાલે ગુરુવારે ચંદીગઢમાં લગ્નગ્રિંથીથી જોડાશે.

48 વર્ષના ભગવંત માનના આ બીજા લગ્ન છે. 6 વર્ષ પહેલા 2016માં પ્રથમ પત્ની ઇંદરજીત કૌર સાથે છૂટાછેડા થયા હતા. તેમની પ્રથમ પત્ની અને બાળકો અમેરિકામાં રહે છે. પંજાબના સીએમના રૂપમાં ભગવંત માનના શપથ ગ્રહણ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તેમના બન્ને બાળકો પંજાબ આવ્યા હતા. જાણકારી પ્રમાણે ભગવંત માનની માતાની ઇચ્છા હતી કે પંજાબના મુખ્યમંત્રી ફરી એક વખત પોતાનું ઘર વસાવે.

ભગવંત માનના પ્રથમ લગ્ન ઇંદરપ્રીત કૌર સાથે થયા હતા. 2015માં બન્નેએ એકબીજાની સહમતિથી છૂટાછેડા લઇને અલગ થવાનો નિર્ણય કર્યો હતો. છૂટાછેડા પછી ઇંદરપ્રીત કૌર બન્ને બાળકો સાથે અમેરિકા ચાલી ગયા હતા. ભગવંત માનના પુત્રનું નામ દિલશાન અને પુત્રીનું નામ સીરત છે. ભગવંત માને કહ્યું હતું કે તે રાજનીતિના કારણે પરિવારને સમય આપી શકતા ન હતા. જેથી પત્નીથી અલગ થયા હતા. છૂટાછેડા પછી તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું કે તેમણે પંજાબને પોતાના પરિવાર કરતા ઉપર પસંદ કર્યા છે. રાજનીતિ માટે તે પત્નીથી અલગ થઇ રહ્યા છે.

મંગળવારે પંજાબના ‘સુનહરા પંજાબ’ કાર્યક્રમમાં પહોંચેલા મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું કે તેમના પ્રથમ પત્ની સાથે છૂટાછેડા થઇ ગયા છે. તેમણે પૂર્વ પત્નીની પ્રશંસા કરતા કહ્યું કે તે એક સારી માતા છે જેણે તેના બાળકોનો સારી રીતે ઉછેર કર્યો હતો. સાથે જણાવ્યું કે જ્યારે તેમના છૂટાછેડા થયા તો તેમણે પોતાની 100 ટકા સંપત્તિ તેને આપી દીધી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page