Friday, May 24, 2024
Google search engine
HomeSportsરોહિત શર્માને ખોટો આઉટ અપાતાં ટીમ ઈન્ડિયાના ચાહકોએ અમ્પાયરની ટીકા કરી

રોહિત શર્માને ખોટો આઉટ અપાતાં ટીમ ઈન્ડિયાના ચાહકોએ અમ્પાયરની ટીકા કરી

ભારત-વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે મેચ રમાઈ હતી જેમાં ભારત પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યું હતું. ત્યાર બાદ રોહિત શર્મા ઓપનિંગ બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો હતો જોકે રોહિત શર્મા 18 રન બનાવીને કેમાર રોચની ઓવરમાં આઉટ થયો હતો. રોહિત શર્માને જે આઉટ આપવામાં આવ્યો તે યોગ્ય છે કે નહીં?

ભારતીય ચાહકોએ થર્ડ અમ્પાયરની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. વાત એવી હતી કે, રોહિત શર્મા 18 રને બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે કેમાર રોચનો બોલ બેટ અને પેડ વચ્ચેથી કોઈ એક વસ્તુને સ્પર્શીને વિકેટકીપરના હાથમાં ગયો હતો.


વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓ આના માટે અમ્પાયરને અપીલ કરી હતી પરંતુ ફીલ્ડ અમ્પાયરે નોટઆઉટ આપ્યો હતો. પરંતુ વેસ્ટ ઈન્ડીઝે રિવ્યૂ લીધો હતો અને ફેસલો થર્ડ અમ્પાયર પાસે ગયો હતો, જ્યાં રિપ્લેમાં ખબર નહોતી પડી રહી કે બોલ પહેલા બેટને વાગ્યો હતો કે પહેલા પેડને વાગ્યો હતો. પરંતુ થર્ડ અમ્પાયરે બોલ બેટને અડ્યો છે તેવું નક્કી કરીને રોહિત શર્માને આઉટ આપ્યો હતો.

પરંતુ ક્રિકેટ ચાહકોને આ નિર્ણય યોગ્ય લાગ્યો નહોતો. કારણ કે રિપ્લેમાં પેડ આગળ છે અને બેટ પાછળ છે. એટલે બોલ કોને સ્પર્શ્યો છે, તે ક્લિયર નથી. એટલે લોકોએ થર્ડ અમ્પાયરની ટીકા કરવાનું શરૂ કરી દીધું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page