Wednesday, June 26, 2024
Google search engine
HomeNationalપતિના મિત્ર સાથે મળી ગઈ આંખ, પતિની લાશના 8 ટૂકડા કર્યા, ફિલ્મને...

પતિના મિત્ર સાથે મળી ગઈ આંખ, પતિની લાશના 8 ટૂકડા કર્યા, ફિલ્મને ટક્કર મારે તેવો રિયલ કિસ્સો

એક ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારે એવો કિસ્સો સામે આવ્યો છે. પત્નીની પતિના મિત્ર સાથે આંખ મળી ગઈ હતી. પત્નીએ આ પ્રેમી સાથે મળીને પતિની હીચકારી હત્યા કરી હતી. પછી લાશના 8 ટૂકડા કરીને તેને ડ્રમમાં મૂકી દીધા હતા. એટલું જ નહીં લાશને ઓગાળવા માટે ડ્રમમાં યુરિયા, મીઠું અને એસિડ ભર્યું હતું. આ ઉપરાંત લાશની દુર્ગંધ બહાર ન જાય એટલા માટે રૂમના દરવાજા પર અગરબત્તી પણ પ્રગટાવતા હતા. જોકે પત્ની અને પ્રેમીનું આ ષડયંત્ર છાનું રહી શક્યું નહોતું. અગરબત્તી સાથે યુરિયાનો સંપર્ક થતાં બ્લાસ્ટ થતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

આ ઘટના બિહારના મુઝફ્ફરપુરની છે. અહીંના બાલુઘાટ ખાતે પુસ્તકના વેપારી સુનીલ શર્માના ત્રણ માળના મકાનના ઉપરના માળે શનિવારે રાત્રે ભાડુઆત સુભાષ કુમારના રૂમમાં કેમિકલ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ હત્યા કરાયેલી વ્યક્તિના મૃતદેહને ઠેકાણે લગાવાના પ્રયાસમાં થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ ફ્લેટમાં રાકેશ સહની અને તેની પત્ની રાધા દેવી રહેતી હતી. રાધા દેવીએ તેના બોયફ્રેન્ડ સુભાષ સાથે મળીને ફ્લેટમાં તેના પતિ રાકેશ સહનીની હત્યા કરી હતી. મૃતદેહના 8 ટુકડા કરી ડ્રમમાં મૂકવામાં આવ્યા હતા. મૃતદેહને ઓગાળવા માટે ડ્રમમાં યુરિયા, મીઠું અને એસિડ ભરવામાં આવ્યું હતું.

રૂમમાં દુર્ગંધ ન આવે એટલે બારી અને દરવાજામાં કપડાં ભરવામાં આવ્યા હતાં. દરરોજ રાત્રે રૂમના ગેટ પર અગરબત્તી પ્રગટાવવામાં આવી હતી. ચાર દિવસ સુધી યુરિયા, સલ્ફ્યુરિક એસિડ અને મીઠા સાથે શરીર પીગળવાને કારણે એમોનિયમ નાઇટ્રેટ ગેસ બન્યો. એમોનિયમ નાઇટ્રેટના સંપર્ક અને સળગતી અગરબત્તીના સંપર્કમાં આવતા વિસ્ફોટ થયો હતો.

જોકે એફએસએલની ટીમનું કહેવું છે કે કેમિકલનું પરીક્ષણ અને વિશ્લેષણ કર્યા બાદ જ સમગ્ર હકીકત બહાર આવશે. બીજી તરફ રાકેશના ભાઈ દિનેશ સહનીના નિવેદન પર હત્યાની FIR નોંધવામાં આવી છે. મૃતકની પત્ની રાધા, બોયફ્રેન્ડ સુભાષ, સાળી કૃષ્ણ દેવી અને સાઢૂ વિકાસને આરોપી ગણવામાં આવ્યા છે.

રાકેશ બિહાર પોલીસના રડાર પર હતો કેમકે તે બિહારમાં ગેરકાયદે દારુનો ધંધો કરતો હતો. તેના લીધે તે મોટા ભાગે છૂપાઈને રહેતો હતો તે દરમિયાન રાકેશનો સાથી સુભાષ તેના ઘરે આવતો જતો રહેતો હતો. તે સમયે રાકેશની પત્ની અને સુભાષની ઓળખાણ થઈ હતી અને બંનેને એકબીજા સાથે પ્રેમ થયો હતો.

પોલીસનું કહેવું છે કે રાકેશના મૃતદેહને 8 ટૂકડામાં કાપવામાં આવ્યો હતો. અને ત્યાર બાદ તેને ડ્રમમાં રાખવામાં આવ્યો હતો. રુમમાંથી એક ચપ્પુ મળી આવ્યુ હતું. પોલીસને શંકા છે કે હત્યા કરવાના પ્રમુખ હથિયાર છુપાવી દેવામાં આવ્યા છે.

પોતાના પ્રેમમાં મૃતક રાકેશ વચ્ચે આવતા પત્ની અને પ્રેમીએ રાકેશને મારી નાખવાનું ષડયંત્ર રચ્યું તેમા તેની પત્નીની બહેન અને જીજાજી પણ જોડાયા. રાકેશની પત્નીના સુભાષ સાથેના સંબંધોની જાણકારી સમગ્ર સમાજને હતી. રાકેશના ભાઈએ હત્યાના કેસમાં પોલીસને ફરિયાદ નોંધાવી છે. તેણે એમ પણ જણાવ્યું હતું કે રાકેશ થોડા દિવસ પહેલા જ પોતાના ઘરે આવ્યો હતો અને ભાડાના મકાનમાં રહી રહ્યો હતો. પોલીસ દ્વારા હાલ હત્યાનું કારણ પ્રેમ પ્રકરણ દર્શાવામાં આવી રહ્યું છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. Posting yang luar biasa! 🌟 Apakah penulis dari blog ini mendapatkan penghasilan? Saya ingin mendaftar! Atau di mana saya bisa meninggalkan email saya untuk menerima postingan langsung?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page