Wednesday, June 26, 2024
Google search engine
HomeFeature Rightહાર પછી કોંગ્રેસમાં અફરાતફરી, એક મહિના સુધી પાર્ટીના પ્રવક્તાઓ ટીવી ડિબેટથી રહેશે...

હાર પછી કોંગ્રેસમાં અફરાતફરી, એક મહિના સુધી પાર્ટીના પ્રવક્તાઓ ટીવી ડિબેટથી રહેશે દૂર

નવી દિલ્હી: ચૂંટણીમાં હાર પછી કોંગ્રેસમાં અફરાતફરીનો માહોલ છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કોંગ્રેસ પ્રવક્તાઓને લઈને મોટું નિવેદન આપ્યું છે. સુરજેવાલાએ જણાવ્યું છે કે આગામી એક મહિના સુધી કોંગ્રેસના પ્રવક્તા ટીવી ડિબેટથી દૂર રહેશે. સુરજેવાલાએ ટ્વિટ કરી મીડિયાને પણ અપીલ કરી કે તેઓ કોંગ્રેસ નેતાઓને ડિબેટમાં ન બોલાવે. આ પહેલાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષન અખિલેશ યાદવ પણ પ્રવક્તાઓને હટાવી ચૂક્યા છે.

સુરજેવાલાએ ટ્વિટ કરતાં લખ્યું, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે નિર્ણય કર્યો છે કે તે એક મહિના સુધી ટીવી ડિબેટ માટે પાર્ટીના પ્રવક્તાને નહીં મોકલે. તમામ ન્યૂઝ ચેનલ/એડીટરને વિનંતી છે કે તે કોંગ્રેસના પ્રતિનિધિઓને પોતાના શોમાં સામેલ ન કરે.

કોંગ્રેસે આ નિર્ણય એવા સમયમાં લીધો છે જ્યારે લોકસભા ચૂંટણીમાં હાર અંગે પાર્ટીમાં ઊડું ચિંતન ચાલી રહ્યું છે. થોડાંક દિવસ પહેલા એવા પણ સામાચાર આવ્યા હતા કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પાર્ટીના વરિષ્ઠ નેતાઓથી નારાજ છે અને પોતાનું રાજીનામું આપવા માંગે છે. બની શકે કે રાહુલના રાજીનામા સંબંધે ચાલી રહી અટકળોનો અંત લાવવા માટે પ્રવક્તા હટાવાનો નિર્ણય લેવામાં આવ્યો હોઈ શકે. એવું પણ બની શકે કે પાર્ટી આગામી મહિના સુધી મીડિયાથી દૂર કરીને પોતાની રણનીતિમાં કેટલાંક ફેરફારો કરવાની યોજના બનાવી રહી હોય.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page