Wednesday, June 26, 2024
Google search engine
HomeBollywoodદયાભાભીનો ખાસ સંબંધી છે 'કોઈ મિલ ગયા'નો જાદુ!

દયાભાભીનો ખાસ સંબંધી છે ‘કોઈ મિલ ગયા’નો જાદુ!

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ચાહકોમાં ઘણી જ ફેવરિટ સીરિયલ છે. આ શો છેલ્લાં 13 વર્ષથી આવી રહ્યો છે. 28 જુલાઈએ આ શોએ 13 વર્ષ પૂરા કર્યા હતા. આ શોના દરેક કલાકારોએ ચાહકોના મનમાં ખાસ જગ્યા બનાવી છે. ‘તારક મહેતા’ની સ્ટારકાસ્ટ પણ મલ્ટીસ્ટારર છે. ચાહકો આ સ્ટારકાસ્ટ અંગે કંઈને કંઈ સર્ચ કરતા હોય છે. હાલમાં જ એક જૂનો વીડિયો વાઇરલ થયો છે.

શોમાં હવે દયાભાભી જોવા મળતાં નથીઃ ‘તારક મહેતા..’માં જેઠલાલ તથા દયાભાભીના પાત્રો ઘણાં જ લોકપ્રિય છે. દયાભાભીનું પાત્ર દિશા વાકાણી ભજવે છે. દયાભાભી 2017થી શોમાં જોવા મળ્યા નથી. ચાહકો આતુરતાથી દયાભાભીની રાહ જોઈ રહ્યાં છે. હાલમાં તો દયાભાભી શોમાં પરત આવે તેવી કોઈ શક્યતા નથી. જોકે, દયાભાભી સાથેની એક મસ્ત રસપ્રદ વાત અમે લઈને આવ્યા છીએ.

‘જાદુ’ સાથે દયાભાભીનો ખાસ સંબંધઃ ‘તારક મહેતા..’માં લીડ રોલ પ્લે કરતાં દયાભાભીના સંબંધો રીતિક રોશનની ફિલ્મ ‘કોઈ મિલ ગયા’ના જાદુ સાથે છે. તમને એમ થાય છે ને કે આ તો કેવી રીતે શક્ય છે? તમને એ તો યાદ છે ને ‘જાદુ’નું પાત્ર ઈન્દ્રવદન પુરોહિતે ભજવ્યું હતું. ‘તારક મહેતા..’માં પણ ઈન્દ્રવદન જોવા મળ્યા હતા. એક એપિસોડમાં તે દયાભાભીના ‘જીવાચાચા’ બનીને આવ્યા હતા. આ રીતે દયાભાભી તથા જાદુ વચ્ચે રિયલ નહીં, પરંતુ રીલ લાઇફ રિલેશન છે.

‘તારક મહેતા..’માં જાદુ જોવા મળ્યો હતોઃ સીરિયલના એક એપિસોડમાં સુંદરલાલ, જેઠાલાલના ઘરે શ્રી સાઈ ભક્ત મંડળની મંડળી લઈને જાય છે. આ મંડળીમાં દયાભાભીના તમામ સંબંધીઓ આવ્યા હતા, તેમાંથી જ એક જાદુ એટલે કે ઈન્દ્રવદન પુરોહિત પણ હતાં. ઘણાં વર્ષો પછી સો.મીડિયામાં આ વીડિયો વાઇરલ થયો છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંક સમયથી મુનમુન દત્તા એટલે કે બબીતાજી પણ શોમાં જોવા મળતી નથી. સીરિયલમાં દયાભાભી અને બબીતા ના હોવા છતાંય ટીઆરપી લિસ્ટમાં સીરિયલ ટોપ 5માં હોય છે.

ઈન્દ્રવદન પુરોહિતની એક તસવીર.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page